બનાસકાંઠા માં ઈનામી ડ્રો બાબતે થરાદ dysp નું મોટું નિવેદન.
બનાસકાંઠા માં ઠેર ઠેર ઈનામી ડ્રો ની લાલચ ભરી સ્કીમો બતાવી ને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.હવે આવાં એક પણ ઈનામી ડ્રો આયોજકો ને છોડવા મા નહીં આવે એવી પુલીસ તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.બનાસકાંઠા મા તમામ ઈનામી ડ્રો ગેરકાનૂની ચાલી રહ્યા છે. ઈનામી ડ્રોની કુપન વેચનાર એજન્ટ પર પણ ફરિયાદ દાખલ થશે.
નવા કાયદા મુજબ લકી ડ્રો લોટરી કરનાર સામે ગંભીર કલમો લાગે આજીવન કેદની સજા થઈ શકે.
તમામ ડ્રોમાં જે એજન્ટોએ કૂપનો વેચી છે તેવા તમામ એજન્ટો સામે પણ તપાસ કરી ફરિયાદ કરવામાં આવશે.
જે પણ અત્યાર સુધીના ડ્રો થયા તેની અંદર તમારી રકમ પાછી ના આપે તો થરાદ ડીવાયએસપી ને મળી ફરિયાદ નોંધાવવા ભલામણ કરવામાં આવી.