જગદીશભાઈ વિશ્વકર્માએ નિકોલમાં વૃક્ષારોપણ કર્યું
નિકોલ: ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ‘એક પેડ માં કે નામ‘ અભિયાન હેઠળ નિકોલ વિધાનસભાના વિરાટનગર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે નાગરિકોને યોગ્ય જતન સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી.
આ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વચ્છતા કાર્યમાં પણ ભાગ લીધો હતો, જેનાથી પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા માટે જનજાગૃતિ વધારવાનો પ્રયાસ થયો છે.