જૈમીનસિંહ ચાવડાની યાદમાં ઠંડી છાશનું વિતરણ
સર્ગાસણ: ચાર વર્ષ પહેલા સરગાસણ ચાર રસ્તા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાન જૈમીનસિંહ ચાવડાની યાદમાં તેમના માતા-પિતાએ લોકો માટે ઠંડી છાશનું વિતરણ કર્યું. તેઓ દીકરાની યાદમાં 'જય તાલીમ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ' બનાવયુ છે જે દર વર્ષે લોકોને સેવા માટે અનેક સારા કાર્ય કરે છે.
સેક્ટર 17 મો ઘ ચાર અંડરપાસ નજીક ખોડીયાર માતાજીના મંદિરે કાઉન્ટર રાખીને સવારે 11:00 થી સાંજના ચાર વાગ્યા સુધી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસે પણ આ કાર્યની પ્રશંસા કરી અને છાશ પીધી હતી.