ગુજરાત માહિતી આયોગે નિવૃત નાયબ સચિવશ્રીઓની સેવાઓની પ્રશંસા કરી
ગુજરાત: તાજેતરમાં ગુજરાત માહિતી આયોગમાં ફરજ બજાવતા નાયબ સચિવશ્રીઓ શ્રી કે.કે.રાવલ અને શ્રી કમલેશ મહેતા નિવૃત થયેલ છે. આયોગે બન્ને અધિકારીઓની કાર્યનિષ્ઠા અને સરકારી સેવા પ્રત્યેના સમર્પણની સહર્ષ નોંધ લીધી છે.
શ્રી કમલેશ મહેતાની વાર્ષિક વહીવટ અહેવાલની કામગીરી અને વિવિધ સમારંભોના આયોજનમાં નોંધપાત્ર સેવાઓ રહી છે. બીજી તરફ, શ્રી કે.કે.રાવલે માહિતી અધિકાર અધિનિયમ માટે તૈયાર કરવામાં આવેલા લધુપુસ્તિકાઓ અને “માહિતીનો અધિકાર: બે દાયકાની સફર” પુસ્તકના સંપાદનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આયોગે બંને અધિકારીઓને માન. મુખ્ય માહિતી કમિશનરશ્રીની સહીથી પ્રશંસાપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કર્યા છે.