બનાસકાંઠા વાવ: 461 બાળકોમાં હૃદયરોગના કેસો નોંધાયા
બનાસકાંઠા વાવ : થરાદમાં 0 થી 18 વર્ષના 461 જેટલા બાળકોમાં હૃદયરોગની બિમારી જોવા મળી છે. આ બિમારીનું સૌથી મોટું કારણ નજીકની દુકાનમાં મળતા પડીકા અને ફૂડ પેકેટ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.
આ માહિતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગની તાજેતરની ચકાસણી દરમિયાન સામે આવી છે. આરોગ્ય વિભાગે બાળકોના હૃદયરોગના વધતા કેસો અંગે સાવચેત રહેવાની અને ફૂડ પેકેટ તથા પડીકા સેવન પર નિયંત્રણ લાવવાની સૂચના આપી છે.