logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ભાવનગર સોમનાથ હાઇવે પર ટેન્કરમાં લાગી આગ

ટાઈટલ

ભાવનગર-સોમનાથ હાઈવે પર ગંભીર અકસ્માત : રાજુલા નજીક સિમેન્ટ બ્લકર અને ટાટા 407 અથડાતા 6 લોકો ઈજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભાવનગર-સોમનાથ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. રાજુલાના છતડીયા ગામ નજીક સિમેન્ટ ભરેલા બ્લકર અને ટાટા 407 વચ્ચે જોરદાર અથડામણ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ઊંચા કોટડા થી ડેડાણ માનતા કરી પરત ફરી રહેલા પરિવારો ટેમ્પામાં મુસાફરી કરી રહ્યા હતા. ટેમ્પામાં અંદાજિત 50 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા.

આ ઘટનામાં ઓમ શિવા બારીયા (ઉં.20), નરેશ ગોહિલ (ઉં.40), જહા કાના બાબરીયા (ઉં.50), હર્ષા હિંમત ભાલીયા (ઉં.19), ઘનશ્યામ મનુ ભાલીયા (ઉં.16) તેમજ દેવુબેન ભોળાભાઈ બારીયા (ઉં.75) સહિત કુલ 6 લોકો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત રાજુલા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતા રાજુલા પોલીસ તેમજ 108 તેમજ 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાઈવે પર અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પણ અસરગ્રસ્ત બની હતી.

ઉલ્લેખનીય છે કે આજે સવારે પણ આ જ હાઈવે પર ટેન્કરમાં આગ લાગવાની ઘટના બની હતી અને એ જ સ્થળ નજીક ફરી ગંભીર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

1
13 views

Comment