રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ત્રાકુડા મુકામે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતનાં ઘરે ગૌ સેવા કરી*
*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ત્રાકુડા મુકામે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતનાં ઘરે ગૌ સેવા કરી*
૦૦૦૦૦૦૦૦
*રાજ્યપાલશ્રીએ ઢળતી સંધ્યાએ ખેડૂત પરિવારની મુલાકાત લઈને આત્મીય ભાવે વાર્તાલાપ કર્યો*
૦૦૦૦૦૦૦૦
*અમરેલી તા.૨૮ એપ્રિલ,૨૦૨૬*
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પ્રવાસ દરમિયાન ત્રાકુડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે ગૌ સેવા કરી હતી.
રાજ્યપાલશ્રી ઢળતી સંધ્યાએ ત્રાકુડા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ભૂપતભાઈ દુધાતના ઘરે પહોંચ્યા હતાં અને પ્રાકૃતિક ખેતી સાથે ગાયોના પાલન પોષણની વિગતો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, દુધાત પરિવાર ૩૦ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. રાજયપાલશ્રીએ તેમના ઘરે જઈ અને ગૌ સેવા કરીને ખેડૂત પરિવાર સાથે આત્મીય ભાવે વાર્તાલાપ કર્યો હતો.