logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત:- ગાયને રાષ્ટ્રીય માતા ધોષિક કરવાની માંગ કરતા

ગુજરાત:- ગાયને રાષ્ટ્રીય માતા ધોષિક કરવાની માંગ કરતા ન્યાય એવમ અધિકાર સમીતી પ્રદેશ પ્રમુખશ્રી પરસોતમભાઈ એન મુંગરા એ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રપતિ શ્રી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, દરેક જિલ્લાના ક્લેક્ટરશ્રીઓ, કમિશનરશ્રી, તાલુકા જિલ્લાના પ્રમુખો, હોદેદારો, સદસ્યો, ગ્રામ પંચાયતના સંરપંચો, ગ્રામ પંચાયતના સદસ્યો, ધાર્મિક સંસ્થાના વડાઓ, દરેક પાર્ટીના નેતાઓ, અલગ અલગ સંગઠનના પ્રમુખશ્રીઓ સામાજીક આગેવાનો, સામાજીક કાર્યકર્તાઓ, પાટીદાર આગેવાનો, દરેક સમાજના આગેવાનો, મિડીયાકર્મી ર્મિત્રો, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, દેશના સાધુ.સંતો, મંહતો ઉચ્ચ કક્ષાના હોદેદારો, અને ગુજરાતના તેમજ દેશના નાગરીકોને સાથે રાખી, તેમજ વિશ્વ હિન્દુ પરીષદ,બંજરંગદળ, વિગેરેનો સાચો અભિપ્રાય લઈ ભારત દેશમાં ગાયમાતાની જે હત્યા થઈ રહી છે તેને તદન બંધ કરવા માટે ઉચ્ચ કક્ષાએ ભારતનાં વડાપ્રધાનશ્રી તેમજ રાષ્ટ્રપતીને તેમજ જિલ્લાના ઉચ અધિકારીશ્રી ક્લેક્ટરશ્રી, કમિશનરશ્રી મહાનગરપાલીકા, પોલીસ કમિશનરશ્રી વિગેરેને લેખીતમાં જાણ કરવામાં આવશે. દરરોજ દેશમાં હજારો હજારો ગાયો કપાઈ છે. હજારો ગૌવંશની દેશમાં ક્તલ થાય છે.તે તદન બંધ કરવા માટે જનતાએ જાગૃત થવાની જરૂર છે. ભારત દેશના કિશાનો, માલઘારીઓએ પોતાની ગાયમાતા, ગૌવંશને કતલખાને ન મોકલવા નમ્રવિનંતી છે. આ માટે પાપના ભાગીદારન બનવા અપિલ છે.જો ગાયની કતલ રોકવામાં નહે આવે તો છેલ્લા દશા વર્ષમા ગાયમાતા આ ધરતી ઉપર જોવા નહી મળે. દરેક ગૌપ્રેમીએ આ અભિયાનમા જોડાઇને ગાયમાતાને બચાવી જોઈએ.અને ગાયમાતાને રાષ્ટ્રીય માતાના રૂપમા બિરૂદ આપવું જોઈએ. ગાયમાતાના એકના શરીરમા સૂર્યનાડી છે.બીજા કોઈના મા આ નાડી નથી. મહારોગ, બિમારીમા મા ગાયમાતાનું દુધ, ધી, મૃત વિગેરે ઉપયોગી છે. અને પ્રવિત્ર માનવામાં આવે છે. આ અભિયાન ચલાવવા માટે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમા બેનરો લગાવવામાં આવશે. આ એક સામાજીક કાર્ય છે. જે પુણ્યકર્મ છે. ગાય માતાને બચાવવું તે. ભારત દેશ હિન્દુસ્તાન છે. તેમાં ગાયની ક્તલન થવી જોઈએ.

આ કાર્યના દરેકે સાથ સદકાર આપી ગાયને રાષ્ટ્ર માતાજી વિરૂદ અપાવીએ તેવું પ્રદેશ પ્રમુખશ્રી પરસોતમભાઈ એન. મુંગરા ન્યાય એવમ અધિકાર સમીતી ગુજરાત એ જણાવેલ છે.

7
691 views

Comment