આણંદ જિલ્લા ના બોરસદ તાલુકા ના જુનાબદલપુર ગામ સફાઈ ઈચ્છે છે -માજી સરપંચ
આણંદ જિલ્લા ના બોરસદ તાલુકા ના બદલપુર ગામ પંચાયત હસ્તક જુનાબદલપુર વિસ્તાર આવેલ છે. આ ગામમાં સફાઈ કરવામાં આવતી નથી. આખા ગામમાં ઠેર ઠેર પંચવટીમાં ગંદકી જોવા મળે છે અને દારૂપીનારાની લાઈનો લાગે છે. વાંટાપુરા વિસ્તાર માં અને કમળા વિસ્તાર માં વર્ષોથી જવાના રોડની માંગણી સ્વીકારવામાં આવતી નથી. ગામમાં ગટર લાઈનનો અભાવ જોવા મળે છે. રોડ રસ્તાઓ પર અસામાજિક તત્વો દ્વારા પાણી નો બગાડ કરવામાં આવે છે પરંતુ આ બાબતે તંત્ર મૌન સેવી રહ્યું છે કેમ?