શ્રી રાજેન્દ્ર નાનુભાઈ દેસાઈ પીડીયાટ્રીક ફિઝિયોથેરાપી સેન્ટરનાં બાળકો દ્વારા વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી.
શ્રી અંબિકાનિકેતન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભારતીમૈયા કેમ્પસ ખાતે આવેલ શ્રી રાજેન્દ્ર નાનુભાઈ દેસાઈ પીડિયાટ્રિક ફિઝીયોથેરાપી સેન્ટર નાના બાળકો માટે વિના મૂલ્યે ચલાવવામાં આવે છે. આજે સેન્ટરમાં વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોએ તેમના માતાપિતા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ફિઝીયોથેરાપી કોલેજના શૈક્ષણિક અને પીડિયાટ્રિક ઓપીડી સ્ટાફના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.