logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ચણાસમામાં શ્રી વારાહી માતાજીના સાનિધ્યમાં પરંપરાગત ‘બાંડીયું બુચીયું ગાગર બેડું’ ઉત્સવ ભક્તિસભર ઉજવાયો...

પાટણ જિલ્લાના ચણાસમા ખાતે બિરાજમાન સમસ્ત કૌડિન્ય ગોત્રના કુળદેવી શ્રી વારાહી માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત ‘બાંડીયું બુચીયું ગાગર બેડું’ કાર્યક્રમ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા અને વારાહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

પરંપરાગત વિધિ: વર્ષો જૂની પરંપરા મુજબ યોજાતા આ ઉત્સવમાં શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી.

માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
ભક્તોની હાજરી: આ ઉત્સવમાં માત્ર સ્થાનિક રહીશો જ નહીં, પરંતુ દૂર-દૂરથી કૌડિન્ય ગોત્રના શ્રદ્ધાળુઓ અને અન્ય માઇભક્તો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

સાંસ્કૃતિક મહત્વ: ચાણસ્માની ઓળખ સમાન આ ઉત્સવ સામાજિક એકતા અને ધાર્મિક આસ્થાનું પ્રતીક બની રહ્યો. રાત્રિ દરમિયાન ભજન સંધ્યા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા.
મંદિર ટ્રસ્ટ દ્વારા આવેલા તમામ ભક્તો માટે દર્શન અને પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ચાણસ્મા પંથકમાં આ પ્રસંગે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને ભક્તોએ 'બાંડીયું બુચીયું ગાગર બેડું' ના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

વિશેષ પરંપરા: નાયકના ખોળામાં માતાજી બિરાજ્યા
આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ માતાજીની પધરામણી અને ગરબા હતા. વર્ષો જૂની પરંપરા મુજબ, નાયક ના ખોળામાં માં શ્રી વારાહી માતાજીની મૂર્તિને બિરાજમાન કરવામાં આવ્યા હતા.

ભક્તિમય ગરબા: માતાજીને ખોળામાં બેસાડીને ભક્તો દ્વારા ગરબા રમાયા હતા. આ દ્રશ્ય જોઈને ઉપસ્થિત તમામ માઈભક્તો ભાવવિભોર બન્યા હતા.

લોક માન્યતા: એવી માન્યતા છે કે આ રીતે માતાજીને ખોળામાં બેસાડી ગરબા રમવાથી માતાજી સાક્ષાત હાજરી પુરાવે છે અને આખા ગામ તથા સમાજ પર આશીર્વાદ વરસાવે છે.

ઉલ્લાસ: ઢોલ-નગારાના તાલે અને માતાજીના જયઘોષ સાથે ભક્તો આ પરંપરાગત વિધિમાં જોડાયા હતા, જે ચણાસમાની સંસ્કૃતિની ભવ્યતા દર્શાવે છે.
આ અનોખી પરંપરાને કારણે જ ચણાસમાનો આ મેળો અને ઉત્સવ સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતો છે.

રિપોર્ટર મુકેશ પિત્રોડા ચાણસ્મા

2
595 views

Comment