રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ
હિંદુ ધર્મના લોકો રામનવમી પર્વને પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પ્રભુ શ્રીરામ પ્રત્યેની શ્રદ્ધા માત્ર ભારતવર્ષમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ એટલી જ ઊંડી જોવા મળે છે. શ્રીરામ એક એવા આદર્શ પુત્ર હતા, જેઓએ પિતા, માતા, પત્ની, ભાઈ-બંધુ, ગુરુ અને સમગ્ર સમાજ પ્રત્યેની પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. તેમણે મર્યાદા અને આદર્શોથી ભરેલું જીવન જીવી ‘મર્યાદા પુરુષોત્તમ’ તરીકે લોકહૃદયમાં સ્થાન મેળવ્યું છે.
શ્રીરામ આબાલવૃદ્ધ માટે પ્રેરણાસ્ત્રોત છે. આ જ ભાવનાને ઉજાગર કરવા માટે ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળાના નાના બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. નાનાં ભૂલકાઓએ હરખભેર શ્રીરામ અને સીતાજીનો વેશ ધારણ કરીને આ પર્વની ઉજવણીમાં ઉમંગભેર ભાગ લીધો હતો. આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)