logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સેવા અને સમર્પણ: ચાણસ્મા ખાતે સ્વ. સમુબેન અમથાભાઈ દેસાઈની 9મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો યોજાયા

સેવા અને સમર્પણ: ચાણસ્મા ખાતે સ્વ. સમુબેન અમથાભાઈ દેસાઈની 9મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો યોજાયા

ચાણસ્મા:૨૬.૦૩.૨૦૨૬
અહેવાલ : મિહિર પટેલ ચાણસ્મા
AIMA NEWS, DELHI

ચાણસ્માના વતની અને દેસાઈ પરિવારના પૂજનીય માતૃશ્રી સ્વર્ગસ્થ સમુબેન અમથાભાઈ દેસાઈની 9મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

સ્વર્ગસ્થ બાની પવિત્ર સ્મૃતિમાં પરિવાર દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત:

જીવદયા: ચાણસ્મા પાંજરાપોળ મહાજન અને સાઈબાબા મંદિરની ગાયોને મકાઈનો ભરડો તથા લીલો ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો.

માનવ સેવા: નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો માટે રોટલા ઘર ખાતે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

યતીમ સેવા: અમદાવાદ સ્થિત યતીમ ખાનામાં પણ બાળકોને ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, "બા હંમેશા પરોપકાર અને સેવાના સંસ્કારોમાં માનતા હતા, તેમની 9મી પુણ્યતિથિએ અબોલ જીવોની સેવા અને જરૂરિયાતમંદોને ભોજન કરાવીને અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે."

આ ભગીરથ સેવાકાર્યમાં દેસાઈ પરિવારના સભ્યો, મિત્રવર્તુળ અને ગ્રામજનો સહભાગી બન્યા હતા અને સ્વર્ગસ્થ સમુબેન અમથાભાઈ દેસાઈના જીવનના આદર્શોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

16
3276 views

Comment