દાહોદમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં યોજાયેલી વિશાળ જનસભામાં તેમણે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો પર આકરા પ્રહાર કર્યા. બાપુએ કહ્યું કે ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી એક જ રાજકીય પરિસ્થિતિથી કંટાળી ગઈ છે અને આજે પણ જનતાને મજબૂત વિકલ્પ મળ્યો નથી. તેમણે તમામ પક્ષો પર જનતા સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો અને “મેચ ફિક્સિંગ” જેવી સનસનીખેજ ટિપ્પણી કરી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દાહોદથી જ રાજકીય બ્યુગલ ફૂંકાતાં રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.