હિન્દૂ યુવા સંગઠન બળદીયા દ્વારા 200થી વધુ મંદબુદ્ધિ, દિવ્યાંગ અને અનાથ બાળકોને પ્રેમભર્યું ભોજન
હિન્દૂ યુવા સંગઠન બળદીયા દ્વારા 200થી વધુ મંદબુદ્ધિ, દિવ્યાંગ અને અનાથ બાળકોને પ્રેમભર્યું ભોજન – દાતા શ્રી અરવિંદભાઈ વેકરીયાનો સેવાભાવ
વિશ્વાસ અને સેવાનું પ્રતીક બનેલું હિન્દૂ યુવા સંગઠન ભારત સતત સમાજસેવાના કાર્યો દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું રહ્યું છે. તાજેતરમાં દાતા શ્રી અરવિંદભાઈ કલ્યાણજી વેકરીયાના સહયોગથી હિન્દૂ યુવા સંગઠન બળદીયા દ્વારા એક સુંદર સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત લગભગ 200થી વધુ મંદબુદ્ધિ, દિવ્યાંગ તથા અનાથ છોકરા-છોકરીઓને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ અપાયો હતો. આ સેવાકાર્ય દ્વારા જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર આનંદ અને સંતોષના સ્મિત જોવા મળ્યા હતા.
આ પ્રસંગે દાતા શ્રી અરવિંદભાઈ વેકરીયાએ હિન્દૂ યુવા સંગઠન ભારત દ્વારા સમાજમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, સંગઠન હંમેશા નિસ્વાર્થ ભાવથી હિન્દુત્વ તથા માનવ સેવા માટે કાર્યરત છે.
હિન્દૂ યુવા સંગઠન ભારત દ્વારા નિસ્વાર્થ હિન્દુત્વ, માનવ સેવા અને સમાજ કલ્યાણ માટે સતત કાર્ય કરવામાં આવે છે, જે આજે સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે.
આવા સેવાકીય કાર્યક્રમો દ્વારા સંગઠન સમાજમાં સેવા, સંસ્કાર અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરી રહ્યું છે.