રીપોર્ટ હરિકૃષ્ણ ભટ્ટ ગુજરાત સુરત ઓલપાડ
ડૉ તુષાર ચૌધરી (ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અને માજી કેન્દ્રીય મંત્રી) તેમજ દર્શન નાયક (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી) દ્વારા કોંગ્રેસના પીઢ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના પરિવારોની મુલાકાત લઈ તેમના સ્વજનોના અવસાન અંગે હૃદયપૂર્વક સાંત્વના વ્યક્ત કરવામાં આવી હતી. 🙏
ઓલપાડ તાલુકાના માધર ગામે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન ભરતભાઈ દેસાઈના ભાઈના અવસાન પર તેમના નિવાસસ્થાને જઈ પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી.
તે જ રીતે, પરીયા ગામે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન દોલતભાઈ ગણપતભાઈ મહીદાના પુત્રના અવસાન પર તેમના પરિવારજનોને મળીને દુઃખમાં સહભાગી બન્યા.
કાસલા ગામે કોંગ્રેસના આગેવાન શાંતિલાલ કંથારીયાની માતાશ્રીના અવસાન પર પણ તેમના ઘરે જઈ પરિવારને સાંત્વના પાઠવવામાં આવી.
આ ઉપરાંત, ચોર્યાસી તાલુકાના ગોડાદરા ગામે કોંગ્રેસના જુના અને વરિષ્ઠ આગેવાન સ્વ. મગનભાઈ પટેલના અવસાન પર તેમના પરિવારજનોને મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. 🌹
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર સંગઠનનો ભાગ નથી, પરંતુ કોંગ્રેસ પરિવારના અવિભાજ્ય અંગ છે. તેમના અવસાનથી પાર્ટીને અપૂરણીય ક્ષતિ પહોંચી છે. આ દુઃખની ઘડીએ કોંગ્રેસ પાર્ટી તેમના પરિવારો સાથે અડગપણે ઉભી છે. 🤝
ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટીના આ કાર્યકર્તાઓએ સંગઠનને મજબૂત બનાવવા જીવનભર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પાર્ટી તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે અને તેમના પરિવારોને દરેક સંજોગોમાં સંપૂર્ણ સહયોગ આપતી રહેશે.”