વલભીપુર તાલુકાના ગામ ખાતે આવેલ ગોહિલ ક્ષત્રિય સમાજના ઇષ્ટદેવ ભગવાન મુરલીધરજી દાદા મહારાજના નવનીત મંદિરે ના પ્રવેશોત્સવ ભવ્ય રીતે ઉજવણી ચાલે
વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આવેલ ગોહિલ ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન મુરલૌધરજી મહારાજના નવનિર્મિત મંદિરના પ્રવેશોત્સવ નિમીત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો રવિવારથી શુભારંભ થયેલ છે. ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈ)ના વ્યાસાસને આયોજિત આ કથાના પ્રારંભે શૌભાયાત્રા, પોથીયાત્રા રજવાડી ઠાઠમાઠ સાથે બહેનોના રાસગરબાની રમઝટ સાથે નિકળી હતી. મુરલીધર દાદા ના નવનિર્મિત મંદિરના પ્રવેશ ઉત્સવ પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે હતી ભીડની સાથે આયોજન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી હતી