પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ત્રિરંગી રોશનીમાં ઝળહળ્યું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર...
77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રના ગૌરવ એવા ત્રિરંગા ધ્વજની રોશનીથી સમગ્ર સોમનાથ પરિસર ભવ્ય અને ગૌરવમય વાતાવરણમાં રૂપાંતરિત થયું; મંદિર પરિસરની આ અલૌકિક રોશનીએ રાષ્ટ્રની એકતાનું જીવંત પ્રતિબિંબ રજૂ કર્યું...