logo

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા સેન્ટ્રલ ઝોનના (ઉત્તર) વિસ્તારનાં પાણી પુરવઠા અંગે અગત્યની જાહેરાત.

સેન્ટ્રલ ઝોનના (ઉત્તર) વિસ્તારમાં તા.૨૬/૧ર/ર૦રપ ના શુક્રવારના રોજ સાજના સમયે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. જે અંગેની અગત્યની જાહેરાતbસુરતના શહેરીજનોને સુરત મહાનગરપાલિકા ધ્વારા અપાતી તમામ સેવાઓ શ્રેષ્ઠત્તમ કક્ષાની મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા હરહંમેશ કટીબધ્ધ છે. સુરત મહાનગરપાલિકાનાં સુરત મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ફાલસાવાડી પોલીસ સ્ટેશનની સામે રીંગરોડ પર એમ.એમ.ટી.એચ.ની કામગીરી દરમ્યાન સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો પુરો પાડતી હયાત ૯૦૦ મી.મી. વ્યાસની સી.આઈ. લાઈન લીકેજ થયેલ હોય, સદર લીકેજ દુરસ્તીની અગત્યની કામગીરી તા.ર૬/૧ર/ર૦રપ શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકેથી બીજા દિવસે એટલે કે તા.ર૭/૧ર/ર૦રપ શનિવારના રોજ સવારે ૦પ:૦૦ કલાક સુધી હાથ ધરવામાં આવનાર હોય, તા.ર૬/૧ર/ર૦રપ શુક્રવારના રોજ સેન્ટ્રલ ઝોનના (ઉત્તર) વિસ્તારનો સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે.
ઝોન મુજબ પાણી પુરવઠાને અસર થનાર વિસ્તારોની વિગત નીચે મુજબ છે.
નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.ર૬/૧ર/ર૦રપ શુક્રવારના રોજ પાણી પુરવઠો સદંતર બંધ રહેનાર છે.
સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ)
સાંજનો સપ્લાય :- (સવારે ૦૬:૨૫ થી ૧૧:૦૦)

દિલ્હીગેટ થી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર, નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર, રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી.
ઉપરોકત બાબતની જાહેર જનતાએ નોંધ લઈ, સહકાર આપવા તથા જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી સંગ્રહ કરી તેનો બચતપૂર્વક ઉપયોગ કરવા વિનંતી. વધુમાં સદર કામગીરીથી થનાર અગવડતા બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે. કામગીરી વહેલી પૂર્ણ થયેથી પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

8
790 views