પ્રાંતિજ તાલુકાના જેસંગપુરા પાટિયા પાસે ખાનગી બસ અને ટ્રેઇલર સાથે સર્જાયો ગમખ્વાર અકસ્માત
મંગળવાર ની રાત્રે પ્રાંતિજ ના જેસંગપુર પાટીયા પાસે ઉદેપુર થી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસ અને આગળ જઈ રહેલા ટ્રેલર ની પાછળ ધડકાભેર અથડાઈ હતી જેથી બસ ના આગળ ના ભાગે વધુ નુકશાન થયું હતું લકઝરી બસ ના ડ્રાઈવર ની બેફામ રીતે ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બસ માં બેઠેલા પાંચ મુસાફરો ઇજાગ્રસ્ત થતાં 108 મારફતે પ્રાંતિજ તેમજ હિંમતનગર સિવલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં ઘટના બાદ પ્રાંતિજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી