logo

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો



પૌત્રીને રમાડવા લંડન જતા હાલાણી પરિવારના ત્રણ સભ્યના જીવ ગયા

આણંદના સલાટીયા રોડ ઉપર રહેતા હાલાણી પરિવારના ત્રણ સભ્યોના પણ વિમાન દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. ૬૬ વર્ષીય બદરૂદ્દીન હલાણી મૂળ ધોળકા તાલુકાના વતની હતા અને એક એકેડેમીની રાષ્ટ્રીય સૈનિક સ્કૂલના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી. આણંદના બિલ્ડર રાજુભાઈ હાલાણીના મોટાભાઈ બદરૂદ્દીન હાલાણી સમાજ સેવા સાથે પણ સંકળાયેલા હતા. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે પાંચેક વર્ષ પૂર્વે પુત્ર અને એક પુત્રી લંડન ગયા હતા. જ્યારે અન્ય એક પુત્રી કેનેડા ગઈ હતી. પુત્રના ઘરે દોઢેક વર્ષ પૂર્વે દીકરીનો જન્મ થતાં પુત્ર અને પુત્રવધુને મળવા તથા પૌત્રીને રમાડવા માટે બદરૂદ્દીનભાઈ હલાણી પત્ની યાસ્મીનાબેન અને ભાભી મલેકબેન સાથે લંડન જવા માટે નીકળ્યા પણ મૃત્યુ ત્રણેયને આંબી ગયું હતું.


ભરોડા ગામનું વૃદ્ધ દંપતી પુત્રોને મળવા લંડન જતું હતું


ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે રહેતા ૭૬ વર્ષીય શશીકાંત રાવજીભાઈ પટેલ અને તેમના ૭૨ વર્ષીય પત્ની કોકીલાબેન નિવૃત્ત જીવન ગુજારતા હતા. છેલ્લા દસેક વર્ષથી ભરોડા ગામે રહેતા હતા સંતાનમાં તેમને બે પુત્રો છે અને બંને પુત્રો લંડનમાં સ્થાયી થયા છે.

બે સંતાનોને મળવા કરમસદની માતાએ બે મહિનાની રજા લીધી હતી
આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો



- અમદાવાદ પ્લેન ક્રેશમાં મોતને ભેટેલાના પરિવારજનોને સાંત્વના આપવા સ્વજનો પહોંચ્યા

- આણંદ અને વાસદના એક જ પરિવારના 3-3 સભ્યના મોત : સંતાનોને મળવા, પૌત્ર- પૌત્રીને રમાડવા સહિતની ઈચ્છાઓ મૃતકોની અધૂરી રહી

પૌત્રીને રમાડવા લંડન જતા હાલાણી પરિવારના ત્રણ સભ્યના જીવ ગયા

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવાર




ભરોડા ગામનું વૃદ્ધ દંપતી પુત્રોને મળવા લંડન જતું હતું

ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે રહેતા ૭૬ વર્ષીય શશીકાંત રાવજીભાઈ પટેલ અને તેમના ૭૨ વર્ષીય પત્ની કોકીલાબેન નિવૃત્ત જીવન ગુજારતા હતા. છેલ્લા દસેક વર્ષથી ભરોડા ગામે રહેતા હતા સંતાનમાં તેમને બે પુત્રો છે અને બંને પુત્રો લંડનમાં સ્થાયી થયા છે.

તમાકુના વેપાર સાથે સંકળાયેલ શશીકાંતભાઈ પટેલ તથા તેમના પત્ની અવારનવાર પુત્રોને મળવા માટે લંડન જતા હતા ગુરુવારે પણ આ વૃદ્ધ દંપતી પુત્રોને મળવા માટે લંડનની ફ્લાઈટમાં જતા હતા. જોકે આ સફર તેઓની આખરી સફર સાબિત થઈ હતી.


વૃદ્ધ દંપતીના અવસાનના સમાચાર સાંભળી ભરોડા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

બે સંતાનોને મળવા કરમસદની માતાએ બે મહિનાની રજા લીધી હતી

આણંદ જિલ્લાના 33 મૃતકોના અવશેષોની રાહ જોતા પરિવારો

આણંદ પાસેના કરમસદ ગામની લલિતા નગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન રાણા પોતાના બે સંતાનોને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ત્યારે દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. વડોદરા ખાતે રહેતા પોતાના મોટા બહેન આનંદીબેન સાથે કરમસદના ભાવનાબેન બીપીનભાઈ રાણા લંડન જવા નીકળ્યા હતા.

ભાવનાબેન રાણા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં ફરજ બજાવતા હતા અને લંડન જવા માટે બે માસની રજા લીધી હતી. તેમની પુત્રી છ વર્ષ પૂર્વે લંડન ગઈ હતી. જ્યારે પુત્ર રાજન અઢી વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ખાતે ગયો હતો. ૫૬ વર્ષીય ભાવનાબેન અગાઉ એક વાર પુત્ર અને પુત્રીને મળવા માટે લંડન ગયા હતા. ૨૦૦૮માં પિતાની છત્ર છાયા ગુમાવી દેનાર બંને સંતાનોએ માતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે.

17
660 views