logo

સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા "નિરોગી જીવનશૈલી ~ ઉત્પાદકતા માં આગેકદમ" પર વિશેષ સેમિનાર નું આયોજન.

સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ ~ SGPC, જે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અંતર્ગત કાર્યરત નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સાથે સંકળાયેલ છે અને દક્ષિણ ગુજરાતમાં ઉત્પાદકતા માં ગુણવત્તાસભર વધારો થતો રહે તે માટે સતત કાર્યરત રહે છે. આજના સતત ભાગદોડના, હરીફાઈ ભર્યા યુગમાં જ્યાં મગજ પર સતત તાણ રહેતી હોય સાથે જ ભોજનની શૈલી સતત બદલાતી રહે છે જેને કારણે આ બધાનો કાર્યશૈલી પર પ્રભાવ પડે છે, તે માટે SGPC દ્વારા નિરોગી જીવનશૈલી ~ ઉત્પાદકતા મા આગેકદમ વિષય ઉપર એક વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત કરતા સંસ્થાના પ્રમુખ નીરવ રાણાએ ભાગદોડ અને સતત તણાવ ભરી જીવનશૈલી માટે આવા કાર્યક્રમની જરૂરિયાત સમજાવતા સર્વે શ્રોતાઓ અને અતિથિઓને આવકાર્યા હતા. શ્રીમતી આમ્રપાલી દેસાઈ જેવો મેરેજ અને રિલેશનશિપ કાઉન્સિલર તરીકે સેવા આપે છે, તેઓએ અતિથિ વિશેષ નું પદ સંભાળ્યું હતું. પ્રમુખ નીરવ રાણા અને સંસ્થાના લેડિઝ વિગના ચેરપર્સન શ્રીમતી અર્ચના દેસાઈએ પુષ્પગુચ્છ અને સ્મરણિકા દ્વારા શ્રીમતી આમ્રપાલી દેસાઈ નું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પ્રમુખ નિરવ રાણા અને અતિથિ વિશેષ શ્રીમતી આમ્રપાલી દેસાઈએ પુષ્પગુચ્છ અને સ્મરણિકા દ્વારા મુખ્ય વક્તાઓ શ્રીમતી ડૉ. પારુલ પટેલ, શ્રીમતી અર્ચના દેસાઈ અને શ્રીમતી જીજ્ઞા પટેલ નું સ્વાગત કર્યું હતું. પ્રથમ શ્રીમતી ડૉ. પારુલ પટેલ કે જેઓ આયુર્વેદાચાર્ય અને યોગ કન્સલ્ટન્ટ છે તેઓએ યોગ અને ધ્યાન ની જરૂરિયાત અને તે કેવી રીતે કરવું, તેના ફાયદા વગેરે પર સમજણ આપી હતી. SGPC ના લેડીઝ વિંગ ના ચેરપર્સન શ્રીમતી અર્ચના દેસાઈ કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ, ડાયેટીશીઅન અને શિક્ષણવિદ તરીકે સેવાઓ આપી રહ્યા છે, તેમણે આહાર કેવો હોવો જોઈએ, યોગ્ય આહાર એટલે શું? તેનાથી થતી અસર વિશે તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું. ત્યારબાદ શ્રીમતી જીગ્ના પટેલ કે જેવો મિલેટ (શ્રી અન્ન )ના પ્રચારક છે અને મિલેટ (શ્રી અન્ન) ની વાનગીઓના નિષ્ણાત પણ છે, તેઓએ આ મિલેટનો આહારમાં સમાવેશ કરવા પર ભાર આપ્યો હતો. વિશેષમાં મિલેટ કેવી રીતે લેવું જોઈએ, મિનિટના વિવિધ પ્રકાર પણ જણાવ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. ભરત દાવડા કે જેઓ જુવાર પર ખાસ સંશોધન કરે છે તેમને પણ આમંત્રવામાં આવ્યા હતા. જેઓનું પુષ્પગુચ્છ વડે શ્રીમતી આમ્રપાલી દેસાઈ અને પ્રમુખ નીરવ રાણાએ સ્વાગત કર્યું હતું. ડૉ. ભરત દાવડાએ હરિત ક્રાંતિના પરિપાકરૂપે ધીમે ધીમે મિલેટની આપણા ભોજનમાંથી બાદબાકી થતી રહી અને ઘઉં ચોખા એ આધીપત્ય જમાવ્યું અને જુવાર બાજરા રાગી કોદરી અને બીજા અલગ અલગ મિલેટ્સ માં કેવા કેવા વિટામિન્સ અને મિનરલ સમાયા છે તે સમજાવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમના અતિથિ વિશે શ્રીમતી આમ્રપાલી દેસાઈએ મગજને સંતુલિત રાખવા માટે યોગ અને ધ્યાન સાથે જ આહાર ના મિશ્રણથી નિરોગી જીવનશૈલી અને તેની અસરો વિશે વિશેષ રીતે સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના માનદ ખજાનચી દીપેશ શાકવાલા એ સુંદર રીતે કર્યું હતું. સંસ્થાના ગવર્નિંગ બોડી ના સભ્ય વકીલ નરેશ શાહે તેમની આગવી શૈલીમાં સર્વે આમંત્રિત મહેમાનો અને શ્રોતાઓનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરી હતી. ત્યારબાદ સર્વે શ્રોતાઓએ મિલેટની ગરમાગરમ વાનગીનો રસાસ્વાદ માણી છૂટા પડ્યા હતા.

13
1782 views