logo

Patan | કૃષિ સંશોધન કેન્દ્ર, અડીયા ખાતે નેશનલ મીશન ઓન નેચરલ ફાર્મીંગ અંતર્ગત કૃષિ સખીઓને તાલીમ અપાઈ

કૃષિ સંશોધન કેન્દ્ર, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, અડીયા ખાતે તા. ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા), પાટણ દ્વારા કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવેલ.

રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ભારત સરકારે નેશનલ મીશન ઓન નેચરલ ફાર્મીંગ ચાલુ વર્ષથી અમલી કરેલ છે. સદર તાલીમ કાર્યક્રમમાં આત્મા, પાટણ દ્વારા હારીજ તાલુકા પસંદ કરેલ કુલ ૨૨ કૃષિ સખીઓ, કૃષિ સંશોધન કેન્દ્ર, અડીયાના વડા શ્રી એન. એન. સાલવી, શ્રી એ. જે. ઠાકોર, સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ (કૃષિ), શ્રી એસ. આર. પરમાર, બ્લોક ટેકનોલોજી મેનેજર, આત્મા, હારીજ, શ્રી એચ. એ. પટેલ, સીનીયર રીસર્ચ ફેલો, શ્રી એન. એમ. ચૌધરી, આસીસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર, આત્મા, હારીજ, શ્રી એમ. એન. ગોયલ અને શ્રી યુ. એચ. ડાભી, ખેતીવાડી મદદનીશ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી પરમારે કૃષિ સખીઓ સહિત તમામ કર્મચારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓનું શાબ્દીક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપેલ. ત્યારબાદ શ્રી સાલવીએ નેશનલ મીશન ઓન નેચરલ ફાર્મીંગ અંગે જાણકારી આપીને કૃષિ સખીઓની ભૂમિકા અંગે જવાબદારી વિશે માહિતગાર કરેલ. વધુમાં શ્રી સાલવીએ પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો વિશે વિસ્તૃત માહિતી આપીને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કૃષિ સખીઓને સતત કાર્યરત રહેવા માટે ભાર મુક્યો હતો. શ્રી ઠાકોરે ફાર્મના પ્રાકૃતિક કૃષિ થકી જમીનની તંદુરસ્તી અને ઉત્પાદક્તા જાળવી રાખવા અંગે માર્ગદર્શન આપેલ. શ્રી પટેલે કૃષિ સખીઓને ફાર્મ ખાતેના પ્રાકૃતિક કૃષિ યુનિટની મુલાકાત કરાવીને બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત તથા જૈવિક જંતુનાશક દવાઓ વિગેરે બનાવવાનું પ્રત્યક્ષ નિદર્શન બતાવીને પ્રાયોગિક સમજ આપી હતી. તાલીમના અંતમાં કૃષિ સખીઓને મુઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ આયોજન શ્રી ગોયલ, શ્રી ડાભી અને શ્રી ચૌધરી દ્વારા કરવામાં આવેલ હતું.

0
3548 views