
ગુજરાત માં ફરી દલિત સમાજ ના યુવાન પર જાહેર મંદિરના માટલાં માંથી પાણી પીવા અને દર્શન કરવા જાન થી મારી નાંખવા નો પ્રયાસ અને ધાક ધમકી
*બનાસકાંઠા જીલ્લા ના સુઈગામ તાલુકા ના ભરડવા ગામે ગામ ના હમીરભારથી બાવા નાં જાહેર મંદિર માં અનુસુચિત જાતિ નાં ગોહીલ વધુભાઈ દુદાભાઈ પાણી ની તરસ લાગતાં ચક્કર આવતાં હોઈ નજીક નાં મંદીર માં પાણી પીવા ગયેલ તો ત્યાં બેઠેલ સવર્ણ જ્ઞાતિ ના ઈસમોએ જાતિસુચક માં બહેન સામી ગાળો કાઢી (જાતિવિસયક શબ્દો) તું અહીં મંદીર માં દર્શન કરવા કે પાણી પીવા કેમ આવ્યો કહી દલિત સમાજ ના યુવાન ભાઈ ને લોખંડ ના હથિયાર થી અને ધોકા થી જાન થી મારી નાંખવા નો પ્રયાસ કરેલ વધુભાઇ એ બૂમાબૂમ કરતા એ લોકો એ જાન થી મારી નાખવા ની ધમકી આપી ને ભાગી ગયેલ વધુભાઈ ને 108 મારફતે એમનાં પરિવારે સુઈગામ રેફરલ હોસ્પિટલ માં સારવાર અર્થે લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે અને પગ માં ફ્રેકચર થતાં તેમને બનાસ હોસ્પીટલ થરાદ માં લઈ ગયેલ અને હાલ ત્યાં બનાસ હોસ્પીટલ થરાદ ખાતે દાખલ છે હજું સુધી એ લોકો ની ધરપકડ થયેલ નથી અને ખુલ્લે આમ ફરી રહેલ છે અને એમની સમાજ ના અન્ય લોકો પણ એકતા કરી દલિત સમાજ ને હંમેશા ધાક ધમકી આપી ક્રોસ માં ખોટી લૂંટ અને અન્ય ખોટી ફરિયાદ કરી દબાવવા નો પ્રયાસ કરતા હોય છે એમા આગેવાનો એમનો દબદબો કાયમી રાખવાં યુવા વર્ગ ને જગડા કરો અને માફી માંગો ની ખુલ્લી છૂટ આપેલ છે હવે જોવું એ રહ્યું કે ગૃહ મંત્રી આવાં લોકો નું વરઘોડો ક્યારે કાઢસે અને બુલ્ડોજાર ફેરવશે કે કેમ? હિન્દુ ધર્મ માં દલીતો સાથે કેમ આટલો બધો અત્યાચાર દિવસે ને દિવસે કેમ વધી રહ્યાં છે? કેમ દલિતો ધર્મપરિવર્તન કરી રહ્યાં છે? કેમ સરકાર આવાં જાતિવાદી લોકો સામે કડક પગલાં લેતાં નથી.*જો સરકાર દ્રારા આવાં જાતિવાદી લોકો સામે કડક કાર્યવાહી કરવા માં નહિ આવે તો સમગ્ર પરિવાર સાથે કલેકટર કચેરી પાલનપુર સામે શાંતિ પૂર્વક ધરણાં પર બેસીશું જો હિંદૂધર્મ માં દલિતો પ્રત્યે આટલો બધો અત્યાચાર થાય તો અમારે ધર્મ પરિવર્તન કરવો યોગ્ય જ વિકલ્પ.