logo

દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ગામે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાહેબ દ્વારા કેચ ઈન ધ રેઈન -2025 અભિયાન અંતર્ગત બનાસકાંઠા માં રિચાર્જ કુવા નિર્માણ નો મેગા ડ્રાઇવ નો પ્રારંભ કરાવ્યો...

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘કેચ ધ રેઈન -2025’ અભિયાન અંતર્ગત બનાસકાંઠામાં રિચાર્જ કૂવા નિર્માણના મેગા ડ્રાઈવનો પ્રારંભ કર્યો.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં દાંતીવાડા તાલુકાના ચોડુંગરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ મશીનોને ફ્લેગ-ઑફ આપી અભિયાનને વેગ આપ્યો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનવાનો માર્ગ ઝડપી પકડ્યો છે.

તેમણે રાજ્યમાં 50,000 રિચાર્જ કૂવા બનાવવાના આયોજનમાં બનાસ ડેરી દ્વારા નિર્માણ પામનારા 25,000 કૂવા માટેની પ્રતિબદ્ધતાને બિરદાવી.

આ ભવિષ્યની પેઢીઓ માટે જળસુરક્ષાનો મજબૂત પાયો તૈયાર કરશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.

19
5395 views