logo

ગુફા ગુનેરી ખાતે ચાર્તુમાસની ઉજવણીને લઈ તૈયારી બેઠક યોજાઈ

ગુફા ગુનેરી ખાતે ચાર્તુમાસની ઉજવણીને લઈ તૈયારી બેઠક યોજાઈ

દયાપર (લખપત તાલુકો):
લખપત તાલુકાના છેવાડે, રણના સરહદી વિસ્તારના ગુનેરી ગામના નજીક આવેલા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે આવનારા ચાર્તુમાસ મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. આગામી 8 જુલાઈથી આ પવિત્ર સ્થળે હિન્દુ સનાતન પરંપરાનો ચાર્તુમાસ મહોત્સવ ઉજવાશે.

આ બેઠકમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ અને સેવકગણ ઉપસ્થિત રહ્યા હતા. ભૌગોલિક રીતે આ ગુફા ગુનેરીથી આશરે 1 કિમી દૂર આવેલી છે અને તેનું નિર્માણ બ્રહ્મલીન ઉદયનંદગિરિ બાપુએ એકલા હાથે સતત 12 વર્ષ સુધી ડુંગર કોતરી કરીને કર્યું હતું.

આ વર્ષે પ્રથમવાર કચ્છમાં હિન્દુ સનાતન સંસ્કૃતિનું ચાર્તુમાસ મહોત્સવ શ્રી દિગંબર ખુશાલ ભારતી મહારાજના સાનિધ્યમાં યોજાશે, જેમણે શ્રી શ્રુંગીઋષિ આશ્રમ, મેવાડ (રાજસ્થાન) તથા રાષ્ટ્રીય મહાકાલ સેનાની સ્થાપના કરી છે.

તૈયારી અને આયોજન
ગુફાના મહંત દિગંબર અશોક ભારતી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં આયોજન અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં ગ્રાઉન્ડનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે સંતો માટેના કુટીરોનું નિર્માણ કાર્ય ચાલુ છે. કાર્યક્રમને સુચારૂ રીતે હાથ ધરવા હેતુથી હંગામી સમિતિની રચના પણ કરવામાં આવી છે.

સમિતિએ મંડપ વ્યવસ્થા, લાઇટિંગ, પાણી, તથા સાધુ-સંતો અને ભાવિકોના રહેવા-જમવાના નિરંતર વ્યવસ્થાપન સહિત અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં કચ્છના વિવિધ ગામોમાં અક્ષત રથ મારફતે આમંત્રણ આપવાનું આયોજન પણ ચર્ચાઈ ગયું છે.

ધાર્મિક કાર્યક્રમો અને કથાઓ
ચાર્તુમાસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં ભાગવત કથા, દેવી ભાગવત, રામાયણ, અને શિવ મહાપુરાણ સહિતની પ્રવચનો તેમજ શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગ પૂજન અને બગલામુખી હવન પણ યોજાશે. સમગ્ર ભારતમાંથી મોટી સંખ્યામાં સાધુ-સંતો, શ્રદ્ધાળુઓ અને આગેવાનો હાજરી આપશે.

51
1121 views