
જાતિવાદી માનસિકતા ધરાવતા જાતિવાદી આતંકીઓ એ દલિત યુવકનો જીવ લીધો?
જાતિવાદી માનસિકતા ધરાવતા જાતિવાદી આતંકીઓ એ દલિત યુવકનો જીવ લીધો?
અમરેલીમાં દલિત યુવક નિલેશ રાઠોડની હત્યાનો મામલો 16 મે, 2025ના રોજ બન્યો હતો. આ ઘટના લાઠી તાલુકાના જરખીયા ગામમાં બની, જેમાં જાતિ વાદી માનસિકતા ધરાવતા જાતિવાદીઆતંકવાદી દુવારા રાઠોડ (ઉંમર 20 વર્ષ)ની હત્યા કરવામાં આવી.
ઘટનાનું કારણ નિલેશ રાઠોડ અને તેના બે મિત્રો બજારમાં નમકીનનું પડીકું ખરીદવા ગયા હતા. દુકાન પર બેઠેલા એક બાળકને નિલેશે "બેટા, તારો હાથ ન પહોંચે તો હું પડીકું તોડી લઉં? એમ કહ્યું. આ વાતનો દુકાનદારે ખોટો અર્થ ઘડ્યો અને તેના પરથી ઝઘડો શરૂ થયો. ઝઘડો વધતાં 10-15 લોકોના ટોળાએ નિલેશ અને તેના મિત્રો પર હુમલો કર્યો. નિલેશને દોડાવીને રસ્તા પર પછાડીને માર મારવામાં આવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું.
જાતિય ભેદભાવ આ ઘટનાને દલિત વિરોધી અત્યાચાર તરીકે જોવામાં આવે છે, કારણ કે નિલેશે પોતાને દલિત તરીકે ઓળખાવ્યું હતું."બેટા" શબ્દનો ઉપયોગ કરવાને કારણે દુકાનદારે અપમાનનો અર્થ લગાવ્યો, જેના પરથી હુમલો થયો.
પોલીસ કાર્યવાહી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમરેલીના SP સંજય ખરાતની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે.ઘટના બાદ પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી, પરંતુ સોસીયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ્માં પોલીસની નિષ્ક્રિયતા અને આરોપીઓ ને બચાવવાના આક્ષેપો થયા છે.
રાજકીય અને સામાજિક પ્રતિક્રિયા જીગ્નેશ મેવાણી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અડધી રાત્રે પીડિત પરિવારને મળીને ન્યાયની માગણી કરી. તેમણે આ ઘટનાને જાતિય હિંસા સાથે જોડીને સરકાર પર આક્ષેપ કર્યો.
સાંસદ ભરત સુતરીયાએ પરિવારને ન્યાયની ખાતરી આપી, જે બાદ પરિવારે નિલેશનો મૃતદેહ સ્વીકાર્યો.
દલિત અધિકાર મંચ આ ઘટનાને ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચારના ભાગ રૂપે જોવામાં આવે છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શનની ચીમકી આપી.
અંતિમ સંસ્કાર નિલેશનો 20મો જન્મદિવસ 25 મે, 2025ના રોજ હતો, જે દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ ક્રિયા લાઠીના જરખીયા ગામમાં આખા ગામની હાજરીમાં થઈ.
લોકોએ આને જાતિય ભેદભાવનું પરિણામ ગણાવ્યું અને ન્યાયની માગણી કરી.આ ઘટનાએ ગુજરાતમાં દલિતો પરના અત્યાચારનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો, જેમાં અગાઉની ઘટનાઓ જેવી કે રાજુલાના સમઢિયાળા અને શાપરમાં દલિતો પરના હુમલાનો પણ ઉલ્લેખ થયો.