મહેસાણા ના કનોડામા રાષ્ટ્રીય પક્ષી મોર ઘાયલ થતા મહેસાણા એનિમલ હેલ્પલાઇન દ્વારા સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો.
આજ રોજ મહેસાણા એનિમલ હેલ્પલાઇનના અને કનોડા ગામેથી અતુલભાઈ પટેલને કોલ આવેલ કે મોરને કૂતરાઓ બચકા ભરે છે તેવો અતુલભાઈ ઘટના સ્થળે પહોંચી અને કૂતરાથી મોર ને બચાવેલ અને વધારે મદદ માટે મહેસાણા એનિમલ હેલ્પલાઇન ના પ્રતિક ઉર્ફે ભૂરો અને અર્જુન ઠાકોર ને કરતા તેમણે તત્કાલીન વન વિભાગ ને જાણ કરી હતી અને સારવાર ની વધારે જરૂર હોઈ તેમણે મહેસાણા એનિમલ હેલ્પલાઇન ના કિરણ રાવત ને જાણ કરતા તેમણે વનવિભાગ ઉચ્ચ અધિકારી યોગેશભાઈ દેસાઈ સાહેબશ્રી ને જાણ કરતા રાષ્ટ્રીય પક્ષી હોવાથી અને વધારે ઘાયલ હોવાથી રેન્જ અધિકારી કિંજલબેન પટેલ અને નિપાસાબેન દેસાઈ ને જાણ કરતા તેમણે ભાવેશભાઈ ને વાત કરી અને રાત્રી દરમિયાન રાષ્ટ્રીય મોર ને વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર અમદાવાદ ખાતે વધારે સારવાર અર્થે મોકલ્યું છે.