logo

*શ્રી જલારામ ધામ,(રામપર વેકરા.) તા.માંડવી માં યોજાયેલા આંખ રોગોના કેમ્પનો ૬૩ જણાં ઓ એ લાભ લીધો હતો.૧૦ જણાં ઓ ના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે.*

*શ્રી જલારામ ધામ,(રામપર વેકરા.) તા.માંડવી માં યોજાયેલા આંખ રોગોના કેમ્પનો ૬૩ જણાં ઓ એ લાભ લીધો હતો.૧૦ જણાં ઓ ના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે.*

*કે સી આર સી (અંધજન મંડળ)હૉસ્પિટલ ભુજ આયોજિત, ગાયત્રી પરિવાર નલિયા અને કચ્છ,જલારામ ધામ નાં ટ્રસ્ટી મંડળ ના સહયોગ થી યોજાયેલા આંખો નાં તમામ રોગો ની તપાસણી નિદાન કે સી આર સી ( અંધ જન મંડળ) ભુજના ડો ગજેન્દ્રભાઈ એ કરી હતી અને દવા ટીપાં સંસ્થા તરફ થી નિશુલ્ક આપ્યા હતા..*

*આંખનાં મોતીઆના -વેલના ઓપરેશન લાયક ૭ દરદીઓ ને કે.સી.આર. સી.આઇ હોસ્પિટલ ભુજ માં ટાંકા વગર નાં ઓપરેશન ફ્રી કરી અપાશે.આંખ ના નંબર ૧૨ જણાંઓ ના ફ્રી કાઢી ને ચશ્મા પણ સંસ્થા તરફ થી ટોકન ચાર્જ માં જ અપાયા હતા. બે જણાને આંખ ની વધારે તપાસ માટે કે સી આર સી આઈ હોસ્પિટલ ભુજ ખાતે બોલાવાયા હતા.*

*પડદા વાળા ૧ જણનું છારી વાળા ૨ જણા ના ઓપરેશન કચ્છ માં અગર કચ્છ બહાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત "ધન લક્ષ્મી બેન આઈયા સાર્વજનિક ચેરી.ટ્રસ્ટ નલિયા" મારફત રાહત દરે અને જરૂરિયાત વાળા ને ફ્રી પણ કરી અપાશે. છરીના ઓપરેશન કે સી આર સી આઈ હોસ્પિટલ ભુજ માં એક આંખના ફક્ત રૂ.૫૦૦ ના હિસાબે ટોકન ચાર્જ માં કરી અપાય છે.*

*આ કેમ્પ ના આયોજન, વ્યવસ્થા અને પ્રચાર પ્રસાર માં હરેશભાઈ ઠક્કર નલિયા ગાયત્રી પરિવાર,પચાણ ભાઇ ગઢવી, કે સી.આર. સી.ભુજ જલારામ અને જલારામ મંદિર ટ્રસ્ટ ના મેનેજર દયાલગીરી ગોસ્વામી નો મુખ્યત્ત્વે સહયોગ રહ્યો હતો.*

*આ કેમ્પ ની શરૂઆત સેવાભાવીઓ તેમજ ટ્રસ્ટીશ્રીઓ ના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી.ટ્રસ્ટી શિવુભા જાડેજા, લાલજીબાપા, પ્રકાશભાઈ રૂપારેલ અને રાજલબેન રબારી હાજર રહ્યા હતા અને સેવા સહયોગ આપ્યો હતો..*

*કે સી આર સી ના મેનેજર અરવિંદ સિંહ ગોહિલ અને તેમની ટીમ ની મહેનત લેખે લાગી હતી.*

*કચ્છ ગાયત્રી પરિવાર ના શિવજી ભાઈ મોઢ, સુકેતુભાઈ રૂપારેલ, ડૉ શ્વેતાબેન સેલોત પણ પ્રચાર પ્રસાર માં ઉપયોગી રહ્યા હતા.*

76
1831 views