logo

જ્યોતિષશાસ્ત્રમાં શુભ અને અશુભ પંચક વિશેની માહિતી



જ્યોતિષ આચાર્ય ડો. તેજસ મહેતા

જ્યોતિષશાસ્ત્રમાં શુભ અને અશુભ પંચક વિશેની માહિતી
*Mr Jyotish Dr.Tejas Mehta*

*પંચક ના પ્રકાર*

*રવિવારથી શરૂ થતા પંચક રોગને પંચક રોગ કહેવાય છે. તેની અસરને કારણે આ પાંચ દિવસ શારીરિક અને માનસિક સમસ્યાઓ પેદા કરે છે. આ પંચકમાં કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ.આ પંચક તમામ પ્રકારના શુભ કાર્યોમાં અશુભ માનવામાં આવે છે.*

*પંચક દરમિયાન બેડ બનાવવો શુભ માનવામાં આવતો નથી. વિદ્વાનો ના મતે આમ કરવાથી મોટું સંકટ સર્જાઈ શકે છે.*
*પંચક દરમિયાન, જ્યારે ઘનિષ્ઠા નક્ષત્ર હોય, ત્યારે ઘાસ, લાકડું (અગ્નિ સામક) વગેરે જેવી જ્વલનશીલ વસ્તુઓ એકઠી ન કરવી જોઈએ, કારણ કે તેના કારણે આગ લાગવાનો ભય રહે છે.*
*પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ, કારણ કે દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવે છે. આ નક્ષત્રો દરમિયાન દક્ષિણ તરફની યાત્રા નુકસાનકારક માનવામાં આવે છે.*
*વિદ્વાનો કહે છે કે જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યું હોય ત્યારે પંચક દરમિયાન ઘરની છત ન બનાવવી જોઈએ. તેનાથી ઘરમાં આર્થિક નુકસાન અને પરેશાનીઓ થાય છે.*
*પંચકમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા પહેલા, વ્યક્તિએ યોગ્ય વિદ્ધાનની સલાહ અવશ્ય લેવી જોઇએ. જો આ શક્ય ન હોય તો, મૃતદેહની સાથે, લોટ અથવા કુશ (ડાભ) ના બનેલા પાંચ પૂતળાઓ અથીૅ ઉપર રાખવા જોઈએ અને આ પાંચેયનો પણ મૃતદેહની જેમ સંપૂર્ણ વિધિથી અગ્નિસંસ્કાર કરવો જોઈએ, તો પંચક દોષ દૂર થાય છે. ગરુડ પુરાણમાં આ ઉલ્લેખ છે.*
*પંચકમાં આવતા નક્ષત્રોમાં શુભ કાર્ય થઈ શકે છે.પંચકમાં આવતા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર સર્વાર્થસિદ્ધિ યોગ બનાવે છે, જ્યારે ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર યાત્રા, વ્યવસાય, મુંડન વગેરે જેવા શુભ કાર્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.*
*પંચકને ભલે અશુભ માનવામાં આવે છે, પરંતુ આ દરમિયાન સગાઈ, લગ્ન વગેરે જેવા શુભ કાર્યો પણ કરવામાં આવે છે. પંચકમાં આવતા ત્રણ નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી, રવિવારના દિવસે હોવાથી આનંદ વગેરે જેવા 28 યોગમાંથી 3 શુભ યોગ બનાવે છે. આ શુભ યોગો આ પ્રમાણે છે - ચાર, સ્થિર અને પ્રવર્ધ. આ શુભ યોગો દ્વારા સફળતા અને આર્થિક લાભ માનવામાં આવે છે.*
*(૧) ઘનિષ્ઠા અને શતભિષા નક્ષત્રને ચર નક્ષત્ર માનવામાં આવે છે.કોઈપણ ચાલુ કામ જેમ કે મુસાફરી,વાહન ખરીદવું, મશીનરી સંબંધિત કામ શરૂ કરવું શુભ માનવામાં આવે છે.*
*ધનિષ્ઠા નક્ષત્રમાં અગ્નિનો ભય રહે છે.*

*(૨)- ઉત્તરાભાદ્રપદ નક્ષત્રને સ્થિર નક્ષત્ર માનવામાં આવે છે. આમાં બીજ વાવવા, ગૃહપ્રવેશ, શાંતિ પૂજા અને જમીન સંબંધિત સ્થિર કાર્યો કરવા જોઈએ.*

*(૩) - રેવતી નક્ષત્ર મિત્ર હોવાને કારણે આ નક્ષત્રમાં કપડાં, વ્યાપાર સંબંધી સોદા કરવા, કોઈપણ વિવાદનું સમાધાન કરવું, જ્વેલરી ખરીદવી વગેરે શુભ માનવામાં આવે છે.*

*(૪)- શતભિષા નક્ષત્રમાં વાદ-વિવાદની શક્યતાઓ છે.*

*(૫)- પૂર્વાભાદ્રપદ એ રોગ પેદા કરનાર નક્ષત્ર છે એટલે કે આ નક્ષત્રમાં રોગની શક્યતા સૌથી વધુ હોય છે.*

*(૬)- ઉત્તરા ભાદ્રપદમાં આર્થિક નુકસાન થવાની સંભાવના છે.*

*(૭)- રેવતી નક્ષત્રમાં નુકસાન અને માનસિક તણાવની સંભાવના છે.*

*(૮) સોમવારથી શરૂ થતા પંચકને રાજ પંચક કહેવાય છે. આ પંચક શુભ માનવામાં આવે છે. સોમવારથી પાંચ દિવસોમાં સરકારી કામમાં સફળતા મળે છે.*
*રાજ પંચકમાં પ્રોપર્ટી સંબંધિત કામ કરવું પણ શુભ છે.*

*પંચક દરમિયાન ન કરો આ 5 કામ*

*મંગળવારથી શરૂ થતા પંચકને અગ્નિ પંચક કહેવાય છે. આ પાંચ દિવસોમાં કોર્ટમાં નિર્ણય, વિવાદ વગેરે અને પોતાના હક્ક મેળવવાનું કામ થઈ શકે છે. આ પંચકમાં આગ લાગવાનો ભય રહેલો હોય છે. આ પંચકમાં કોઈપણ પ્રકારનું બાંધકામ, સાધનો અને મશીનરીનું કામ શરૂ કરવું અશુભ માનવામાં આવે છે. અને નુકસાનનું પણ થઈ શકે છે.*
*કયા દિવસે શરૂ થતા પંચક મા શુભ કાર્ય કરી શકાય*
*પંચકમાં આ શુભ કાર્યો કરી શકાય છે*

*શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવાય છે. નામ જ સૂચવે છે કે આ પંચક, જે દિવસથી શરૂ થાય ત્યાથી પાંચ દિવસ, તે મૃત્યુ જેટલું જ મુશ્કેલીકારક છે. આ પાંચ દિવસોમાં કોઈ જોખમ ભરેલું કામ ન કરવું જોઈએ. તેની અસરથી વાદ - વિવાદ, ઈજા, અકસ્માત વગેરેનો ભય રહે છે.*

*મુહૂર્ત ચિંતામણિ ગ્રંથ અનુસાર પંચકના નક્ષત્રોના શુભ પરિણામ*

*શુક્રવારથી શરૂ થતા પંચકને ચોર પંચક કહેવાય છે. વિદ્વાનોના મતે આ પંચકમાં મુસાફરી કરવાની મનાઈ છે. આ પંચકમાં લેવડ-દેવડ, વેપાર અને કોઈપણ પ્રકારના સોદા ન કરવા જોઈએ. અયોગ્ય કામ કરવાથી આર્થિક નુકસાન થઈ શકે છે.*

*પંચકના નક્ષત્રોની આ અશુભ ગણાય છે.*

*આ સિવાય બુધવાર અને ગુરૂવારથી પંચકમાં ઉપર જણાવેલ બાબતોનું પાલન કરવું જરૂરી નથી. પંચકના પાંચ કાર્યો સિવાય આ બે દિવસથી શરૂ થતા દિવસોમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરી શકાય છે.*
*જ્યોતિષ આચાર્ય ડૉ.તેજસ મહેતા*

0
1968 views