logo

27 ડિસેમ્બર 2024 આત્મીય યુવા પર્વ, સુરત સણીયા કણદે (ગુજરાત ) નિમિતે સ્વછતા અભિયાન

યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડા દ્વારા સંચાલિત આત્મીય મંડળ ખેરગામ તા - ખેરગામ જી - નવસારી (ગુજરાત) ના ભક્તો દ્વારા 27 ડિસેમ્બર આત્મીય પર્વ નિમિતે ગુજરાતના નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકા ભૈરવી ગામે શનિદેવ મંદિરે સ્વછતા અભિયાની સેવા તથા બાળસભાનું આયોજન આત્મીય મંડળ ખેરગામ (યોગીજી પ્રદેશ )દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં અંદાજે 50 થી 60 ભૂલકાઓની બાળસભાનું આયોજન થયું હતું તેમજ
ખેરગામ સ્વામિનારાયણના અંદાજે 120 જેટલાં ભક્તો દ્વારા મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યાર બાદ સમૂહ મહાપ્રસાદનું પણ મંડળથી આયોજન કરવામાં આવ્યું હતું
આ આયોજન માં મંદિર ટ્રસ્ટ દ્વારા ખુબ સાથ સહકાર મળીયો હતો

23
1616 views