logo

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કર્મકાંડ શિબિર યોજાઈ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કર્મકાંડ શિબિર યોજાઈ.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે સમગ્ર મહિસાગર જિલ્લા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તાઓ કર્મકાંડ શીખી શકે અને યુગ નિર્માણ કાર્યમાં સમાજ ઉપયોગી કાર્ય થઈ શકે તે માટે તારીખ 7 -9 - 2024 અને 8- 9- 2024 દરમિયાન લુણાવાડા ખાતે યોજવામાં આવેલ છે આ સમગ્ર કર્મકાંડ પ્રશિક્ષણ ની પ્રશિક્ષક તરીકેની જવાબદારી વિસનગર થી વ્યાસજી સંભાળી રહ્યા છે. આમ શિબિરનું શુભ ઉદ્ઘાટન ગાયત્રી પરિવાર પંચમહાલ ઉપજોન સંયોજક રામજીભાઈ ગરાસીયા, 52 પાટીદાર ના પ્રમુખ દિનેશભાઈ પટેલ, મંત્રી અંબાલાલ પટેલ, સમાજના આગેવાન નંદુભાઈ પટેલ તેમજ અગ્રગણ્ય વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આજની પ્રથમ દિવસની શિબિરમાં 150 થી વધુ ગાયત્રી પરિવારજનોએ કર્મકાંડ પ્રશિક્ષણનો લાભ લીધો હતો આ શિબિર ને સફળ બનાવવા માટે મહીસાગર જિલ્લા ગાયત્રી પરિવાર ના સંગઠક જે કે પટેલ સહ સંયોજક નરવતભાઈ માલીવાડ ગેમાભાઈ ભગોરા તેમજ લાલજીભાઈ ખાટનો સહકાર રહ્યો હતો.

15
2372 views