સુરત મહાનગરપાલિકાના નવમાં વહીવટદાર તરીકે મિલિન્દ તોરવણે દ્વારા આજરોજ પદભાર સંભાળવામાં આવ્યો.
ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ના પ્રિન્સિપલ સેક્રેટરી મિલિન્દ તોરવણે ધ્વારા તા.૧૨/૦૩/૨૦૨૬ ના રોજ સુરત મહાનગરપાલિકાના નવમાં વહીવટદાર તરીકે પદભાર સંભાળેલ છે. જેઓનું સુરત મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર એમ. નાગરાજન ધ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવેલ. મિલિન્દ તોરવણે એ અગાઉ તા.૦૪/૦૭/૨૦૧૪ થી તા.૨૫/૦૯/૨૦૧૬ દરમ્યાન સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવેલ છે. જેઓશ્રીની સુરતના શહેરીજનો, શુભેચ્છકો, મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.