logo

મેગેઝિન : A true outlook on life

Dharmlok : મોજ મસ્તી અને મનમરજી: જિંદગી જીવવાનો અસલી અંદાજઆજે લોકોના જીવનમાં ખાનગી અને જાહેર એવા બે અલગ ભાગલા પડી ગયા છે. અંદર કંઈક અને બહાર કહેવાની વાત કંઈક જુદી. આથી છેવટે આવા લોકોનું આંતરિક જીવન કલુષિત થઈ જાય છે. પછી એને બે વિભાગમાં જીવનમાં કાયમ જાળવી રાખવા પડે છે. જીવન તો સરળ હોવું જોઈએ. તમે એકલા હો કે સભામાં હો જેવું એકાંતમાં રાખો એવું જ સમાજમાં વર્તો, બોલો, વિચારો આ વગર તમારો આરો નથી. જ્યાં સુધી આવું જીવન આપણે નહીં બનાવીએ ત્યાં સુધી માનવ સમાજ ઉંચો નહીં આવે. અને સમાજ જો ખરાબ હશે તો ગરમ તથા ઉપર પાણીનાં ટીપા પડતાં જેમ છમ બોલી ઉડી જાય છે એમ ધર્મનાં અમૃતબિંદુઓ એવા સમાજ ઉપર પડતા જ તે બળી જશે. માટે આપણું કાર્ય એ છે કે સમાજને સુંદર બનાવવો ને સ્વસ્થ બનાવવો. જીંદગીમાં આવી દીવાલોના અંતરાયો બહુ જ ખરાબ છે. એ હંમેશા માણસને નડે છે. એ દીવાલ તૂટી જાય તો બધું બરાબર દેખી શકાય. ખાનગી અને જાહેર એવા વિભાગો આપણા જીવનમાં આડી આવતી દીવાલો છે. GSTV.in
પોડકાસ્ટ
Search
user-icon

GSTV શતરંગ
GSTV શતરંગ
રાશિફળ
રાશિફળ
લાઇવ ટીવી
લાઇવ ટીવી
Back
All Categories
Campus Corner
કેમ્પસ કોર્નર
આઈ એમ જર્નાલિસ્ટ
આઈ એમ જર્નાલિસ્ટ
Gujarat
ગુજરાત

Magazines
મેગેઝિન
India
ભારત
World
વિશ્વ
Business
વ્યાપાર
Entertainment
મનોરંજન
Religion
ધર્મ
Sports
રમતગમત
GSTV originals
GSTV ઓરિજિનલ

Auto-Tech
ઓટો-ટેક
Lifestyle
જીવનશૈલી

Career
કારકિર્દી
Trending
ટ્રેન્ડિંગ
Videos
વીડિયો

GSTV શતરંગ
GSTV શતરંગ

Kalasmruti
ક્લાસ્મૃતિ
Vaat Tamari, Manch Amaru
વાત તમારી, મંચ અમારું
Rashifal
રાશિફળ
Web Stories
વેબ સ્ટોરીઝ
LiveTV
લાઇવ ટીવી

હોમ / મેગેઝિન : A true outlook on life
Dharmlok : મોજ મસ્તી અને મનમરજી: જિંદગી જીવવાનો અસલી અંદાજ
Time
છેલ્લું અપડેટ : 12 Feb 2026
Google News
Bookmark
Dharmlok : મોજ મસ્તી અને મનમરજી: જિંદગી જીવવાનો અસલી અંદાજ
સોર્સ : GSTV
આજે લોકોના જીવનમાં ખાનગી અને જાહેર એવા બે અલગ ભાગલા પડી ગયા છે. અંદર કંઈક અને બહાર કહેવાની વાત કંઈક જુદી. આથી છેવટે આવા લોકોનું આંતરિક જીવન કલુષિત થઈ જાય છે. પછી એને બે વિભાગમાં જીવનમાં કાયમ જાળવી રાખવા પડે છે. જીવન તો સરળ હોવું જોઈએ. તમે એકલા હો કે સભામાં હો જેવું એકાંતમાં રાખો એવું જ સમાજમાં વર્તો, બોલો, વિચારો આ વગર તમારો આરો નથી. જ્યાં સુધી આવું જીવન આપણે નહીં બનાવીએ ત્યાં સુધી માનવ સમાજ ઉંચો નહીં આવે. અને સમાજ જો ખરાબ હશે તો ગરમ તથા ઉપર પાણીનાં ટીપા પડતાં જેમ છમ બોલી ઉડી જાય છે એમ ધર્મનાં અમૃતબિંદુઓ એવા સમાજ ઉપર પડતા જ તે બળી જશે. માટે આપણું કાર્ય એ છે કે સમાજને સુંદર બનાવવો ને સ્વસ્થ બનાવવો. જીંદગીમાં આવી દીવાલોના અંતરાયો બહુ જ ખરાબ છે. એ હંમેશા માણસને નડે છે. એ દીવાલ તૂટી જાય તો બધું બરાબર દેખી શકાય. ખાનગી અને જાહેર એવા વિભાગો આપણા જીવનમાં આડી આવતી દીવાલો છે.
જો તમે જીવન બરાબર ગાળતા હશો તો એકાંતમાં કે જાહેરમાં તમે બોલતા હશો ત્યારે બીજાને જોઈ તમારે વાત બદલવી નહીં પડે. પછી તો તમને થશે કે એક ને બદલે બદલે બે ચાર જણ તમારી વાતો સાંભળે. હું પુછું છું કે તમે ક્યાં સુધી આમ પરાયા લોકોની ટીકાની બીકમાં જીવશો? જીવનનાં આવા બે કૃત્રિમ વિભાગોને છોડી તમારી જાતને ધ્યાનમાં લો. અને બેઉ સ્થળે એક જ રીતે વર્તો તો જીવનમાં કશી મુશ્કેલી નહીં લાગે. તમારી વાતમાં જાહેર ખાનગીનાં આવા બે વિભાગ ન હોવા ઘટે. તમે જે એકને કહો તે જ જગતને કહો, જગતને કહો તે એકને કહો આવું થશે તો તમને ખૂબ મજા આવશે અને પછી તમે ગમે ત્યાં અને ગમે ત્યારે બીક વગર બોલી શકશો. આજે તો માણસોનાં જીવન છછૂંદરનાં જેવા બની ગયા છે. એવા લોકો તો દરમાં જ પડયા રહે છે. પણ યાદ રાખો કે આપણે તો મનુષ્ય છીએ. જો મનુષ્ય જીવનમાં આવીને પણ આપણે છછૂંદર તરીકે જીવીશું તો માનવ-જીવન ક્યારે જીવીશું ? માટે જીવનનો રસ્તો નક્કી કરી પછી જીંદગી જીવવામાં ઓર આનંદ આવશે. આજે આપણા જીવનમાં આનંદ નથી રહ્યો તેથી જીવન ભારે અને દુ:ખદ લાગે છે. પણ જીવનમાં આદર્શ નક્કી થશે તો પછી જીંદગીમાં કંટાળો, થાક નહી લાગે. આપણે વિચારવાનું છે કે માણસ આજે આવો નાનો કેમ થઈ ગયો છે ? કયે કારણે થઈ ગયો છે ? ખાવાના, પહેરવાના, રહેવાના સાધનો આપણને મળ્યા છે છતાં આપણે જીવનને બગાડીએ છીએ. તો પછી સુધરવાની તક ક્યાં રહી ? માણસને જો જીંદગી જીવવાનો અર્થ ન આવડે તો માનવજીવનનો અર્થ શો ? આપણે આટલા બધા વર્ષો કાઢયા, ગાળ્યા તો શું બાકીના વર્ષો પણ હજી આમ જ કાઢવા છે ? માટે શાંતિથી વિચારો કે આટલા વર્ષોનો શો કસ કાઢયો ? અને બાકીનાં વર્ષોમાં શો કસ કાઢશો?

0
35 views