
ઊંઝા તાલુકાના ઉનાવા એપીએમસી ખાતે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય ખેડૂત-શ્રમિક સંમેલન યોજાયું.
ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા આયોજિત વી.બી.જી. રામજી ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત ઊંઝા તાલુકાના ઉનાવા એપીએમસી ખાતે ભવ્ય ખેડૂત-શ્રમિક સંમેલન યોજાયું.
મહેસાણા,12..
અહેવાલ: મિહિર પટેલ, ચાણસ્મા
: 9558900630
ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા આયોજિત વી.બી.જી. રામજી ખેડૂત જનજાગરણ અભિયાન અંતર્ગત ઊંઝા તાલુકાના ઉનાવા એપીએમસી ખાતે ભવ્ય ખેડૂત-શ્રમિક સંમેલન યોજાયું.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મંત્રી શ્રીમતી સીતાબેન પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, ઉનાવા એપીએમસીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ,ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હર્ષદભાઇ પટેલ , મહામંત્રી યોગેશભાઈ પટેલ , રાહુલભાઈ ઠાકોર અને ઊંઝા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી વિપુલભાઈ પટેલ (ઉપકાર,), ઉનાવા એપીએમસીના પૂર્વ પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, એપીએમસીના ડિરેક્ટરશ્રીઓ, સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી,ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રી તથા હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂત હિતની યોજનાઓ, સરકારશ્રીના વિકાસકાર્યો તથા સંગઠનની દિશા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ખેડૂતશક્તિને વધુ સશક્ત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.