logo

India : PM Modi didn't have the courage to come to Lok Sabha: Priyanka Gandhi

પીએમ મોદીની લોકસભામાં આવવાની હિંમત નહોતી, સ્પીકર પાસે જૂઠું બોલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધીલોકસભામાં છેલ્લા ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. ત્રીજા દિવસે વિપક્ષની ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી પાસે આવી ગયા હતા, જેને અધ્યક્ષ ઓમ બિરલાએ અણધારી ઘટનાને અંજામ આપવાની યોજના હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે.બિરલાના દાવા બકવાસ : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં આવવાની હિમ્મલ કરી શક્યા નથી, તેથી તેઓ લોકસભા અધ્યક્ષ પાસે જૂઠ બોલાવી રહ્યા છે.’PM અધ્યક્ષ પાસે બધું બોલાવી રહ્યા છે’
પ્રિયંકાએ ગૃહ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અધ્યક્ષનો દાવો સંપૂર્ણ ખોટો છે. એ વાતનો કોઈ જ સવાલ નથી કે, વડાપ્રધાન સાથે અણધારી ઘટના ઉભી કરવાની યોજના હતી. વડાપ્રધાન લોકસભા અધ્યક્ષની પાછળ છુપાઈ રહ્યા છે અને તેઓ આ બધુ અધ્યક્ષ પાસે બોલાવી રહ્યા છે. વડાપ્રધાનમાં ગૃહમાં આવવાની હિમ્મત નથી. આ કેવી બકવાસ વાત છે કે, ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સામે ઉભી થઈ ગઈ હતી, તેથી પીએમ ગૃહમાં આવી શક્યા નથી.’
GSTV.in
Search
E-news-paper
ઈ-પેપર
user-icon

All Categories
campuscorner
Campus Corner
journalist
આઈ એમ જર્નાલિસ્ટ
Gujarat
Gujarat
GSTV originals
GSTV originals
Magazines
Magazines
India
India
World
World
Business
Business
Entertainment
Entertainment
Religion
Religion
Sports
Sports
Auto-Tech
Auto-Tech
Lifestyle
Lifestyle
Career
Career
Trending
Trending
Videos
Videos
GSTV શતરંગ
GSTV શતરંગ
Kalasmruti
Kalasmruti
Vaat Tamari, Manch Amaru
Vaat Tamari, Manch Amaru
rashifal
Rashifal
Web Stories
Web Stories
Live TV
Live TV
GSTV શતરંગ
GSTV શતરંગ
rashifal
Rashifal
Live TV
Live TV
Home / India : PM Modi didn't have the courage to come to Lok Sabha: Priyanka Gandhi
પીએમ મોદીની લોકસભામાં આવવાની હિંમત નહોતી, સ્પીકર પાસે જૂઠું બોલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી
Last Update : 05 Feb 2026

Bookmark

પીએમ મોદીની લોકસભામાં આવવાની હિંમત નહોતી, સ્પીકર પાસે જૂઠું બોલાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી
Source : google

લોકસભામાં છેલ્લા ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. ત્રીજા દિવસે વિપક્ષની ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી પાસે આવી ગયા હતા, જેને અધ્યક્ષ ઓમ બિરલાએ અણધારી ઘટનાને અંજામ આપવાની યોજના હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store

Play Store
બિરલાના દાવા બકવાસ : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન હવે સ્પીકરની પાછળ છુપાઈ રહ્યા છે. વડાપ્રધાન ગૃહમાં આવવાની હિમ્મલ કરી શક્યા નથી, તેથી તેઓ લોકસભા અધ્યક્ષ પાસે જૂઠ બોલાવી રહ્યા છે.’


‘PM અધ્યક્ષ પાસે બધું બોલાવી રહ્યા છે’
પ્રિયંકાએ ગૃહ પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘અધ્યક્ષનો દાવો સંપૂર્ણ ખોટો છે. એ વાતનો કોઈ જ સવાલ નથી કે, વડાપ્રધાન સાથે અણધારી ઘટના ઉભી કરવાની યોજના હતી. વડાપ્રધાન લોકસભા અધ્યક્ષની પાછળ છુપાઈ રહ્યા છે અને તેઓ આ બધુ અધ્યક્ષ પાસે બોલાવી રહ્યા છે. વડાપ્રધાનમાં ગૃહમાં આવવાની હિમ્મત નથી. આ કેવી બકવાસ વાત છે કે, ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાનની ખુરશી સામે ઉભી થઈ ગઈ હતી, તેથી પીએમ ગૃહમાં આવી શક્યા નથી.’




PM મોદી સાથે અપ્રિય ઘટના થાય તેવી શક્યતા હતી: લોકસભા સ્પીકર
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, તેમણે જ PM મોદીને સંસદમાં ભાષણ ન આપવા સલાહ આપી હતી કારણ કે કોંગ્રેસના સાંસદો પહેલેથી જ તેમની ખુરશી ઘેરીને ઊભા હતા. તેમણે કહ્યું હતું કે, ‘હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે ગઈકાલે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ ગઈકાલે જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત.’

મહિલા સાંસદોને આગળ કરી PM મોદી પર હુમલો કરવાનો પ્લાન હતો: રિપોર્ટ
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર શારીરિક હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. લોકસભાના સ્પીકરને માહિતી મળી હતી કે, કોંગ્રેસે મહિલા સાંસદોને ઢાલ બનાવી વડાપ્રધાન મોદી પર હુમલો કરવાનું કાવતરું રચી હતી. જે બાદ લોકસભા સ્પીકરે વડાપ્રધાન મોદીના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવ પસાર કરવાનો નિર્ણય લીધો. ભાજપ સાંસદ મનોજ તિવારી અને કંગના રણૌતે પણ આવા જ આરોપ લગાવ્યા હતા કે કોંગ્રેસ સાંસદો વડાપ્રધાન મોદી પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા

0
77 views